1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

08 June 2007

હૈયાને નથી ....

હૈયાને થી ....
હૈયાને નથી હોઠના કથનનો ભરોસો
પગને નથી પાયલના નર્તનનો ભરોસો

જોવું નથી ને જે દ્ર્શ્ય તે જોવું જો પડે છે
પાંપણ બીડાઇ જાય, ના નયનનો ભરોસો
બદલે છે અહીં રંગ ઋતુઓ બેઋતુમાં
વર્ષા, ન તાપ વીજ કે પવનનો ભરોસો...

કહે છે, જહાંનો મ્હેલ રચાયો યકીન પર
ખંડન થઇ રહ્યું છે, ના સર્જનનો ભરોસો..

રહેંસી રહ્યો છે આજ ગળું ભાઇ-ભાઈનુ
ના યાદવોના સર્વ નિકંદનનો ભરોસો...

કળીયુગનો આ આદમી ભૂલી ગયો નીતિ
એને રહ્યો ના મૃત્યુ કે જીવનનો ભરોસો...

ચૂકે છે ધર્મ, કર્મ ને મૂકે શરમ સહુ 'રવિ'!
માનવને ના માનવનો કે ભગવાનનો ભરોસો...

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

1 comment:

નીતા કોટેચા said...

kadiug no aa admi
bhuli gayo niti
ene n rahyo na
mrutyu k jivan no bharoso.

bahu j sunder
chuke che dharma,
karma ane muke sahu "ravi"
manav ne na manav no
k bhagavan no bharoso.

gr88888888888888