1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

05 August 2007

જુદો રહું છું જગતથી

જુદો રહું છું જગતથી

જુદો રહું છું જગતથી હું છતાં જૂદાઇ ના લાગે !
બુરૂં કરનારના હૈયા ઢૂંઢૂ, બુરાઇ ના ભાસે !

બને સંજોગનો જે ભોગ, તેમાં દોષ કોનો છે ?
જીવનયુધ્ધે લડે તોયે, રણશિંગુ ના વાગે !

ખીલે લાખો ફૂલો નિત્યે, જૂદાં કિસ્મત, જૂદાં અરમાં
કોઇ સોહે પ્રભુ શીરે, કોઇ કરમાઇ જતાં લાગે !

મથું, લઇ મોત મૂઠ્ઠીમાં, મહાસાગરમાં મરજીવા
મળે મોતની સાટે મોત તો અધીરાઇ ના જાગે !


બની ભવસાગરે સદગુણભર્યુ હેતું તણો સેતુ,
'રવિ' ઝૂલાવતો જગને, છતાં પંકાઇ ના રાચે

* કવિ: 'રવિ' ઉપાધ્યાય

1 comment:

નીતા કોટેચા said...

khub j sunder

kai pankti na vadhare vakhan karva e j samjatu nathi